Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના પોઝીટીવ કેસ મળતા ખળભળાટ, ભરૂચ જિલ્લામાં કોરોના આંકડો ૪૮ થયો.

Share

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના દર્દી મળતા વહીવટી તંત્રએ તાબડતોડ વિસ્તારને શીલ કરવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ગામે ઝકકરિયા મસ્જિદવાળા ફળીયામાં રહેતા સુહેલ અહમદ અમીજી ઉ.વ ૩૫ ને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓ ઘરે જ રહેતા હતા અને તેમને શરદી ખાંસી થતા તેમણે જંબુસર ખાતે દારુલ ઉલુમ દવાખાનામાં સારવાર લીધી હતી. જ્યાં તેમને ન્યુમોનિયા હોવાનું જણાતા વડોદરા ગોત્રી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને કોરોના રીપોર્ટ ટેસ્ટ કરવામાં આવતા કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ખાતે કોરોના પોઝીટીવ દર્દી મળતા આરોગ્ય વિભાગ તેમજ પોલીસની ટીમ ગામમાં પહોંચી ગઈ હતી. અને આછોદ ગામને જરૂરી સૂચનાઓ આપી વિસ્તારને શીલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આછોદના કોરોના પોઝીટીવ સુહેલ અહમદ અમીજીના કુટુંબમાં રહેતા ૪ લોકોને આમોદના બચ્ચો કા ઘર ખાતે ફેસિલિટી કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા : સખી વનસ્ટોપ સેન્ટર નર્મદા દ્વારા વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા.

ProudOfGujarat

સુરતથી ભરૂચ લવાતો ગાંજાનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ વેજલપુર અંબાજી પદયાત્રા સંઘનાં ૭૫ માઈ ભક્તો ૧૩ દિવસ પદયાત્રા કરી અંબાજીમાં ૫૨ ગજની ૧૧ ધજા ચઢાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!