Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઓટોરિક્ષા ચલાવતા ચાલકો માટે ઇશ્રમ કાર્ડ બનાવી આપવાનું આયોજન કરાયું.

Share

સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં નાના પાયા પર કામ કરતા મજૂરો માટે સરકાર દ્વારા ઇશ્રમ કાર્ડ બનાવી આપવાનું જાહેર કરાયું છે જેમાં અસંગઠિત વર્ગમાં આવતા લોકોને લાભ આપવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી ઓટો રિક્ષા ચલાવતા ચાલકોને કાર્ડ બનાવી આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં નાના એકમોમાં કામ કરતાં લેબર વર્કર તેમજ જય ભારત ઓટોરિક્ષા એસોસિયેશન અને આરટીઓ કચેરીના ઉપક્રમે જિલ્લાના તમામ ઓટોરિક્ષા ચાલકો માટે આજે અને આવતીકાલે સવારે 10:00 વાગ્યે ઇશ્રમ કાર્ડ બનાવી આપવા માટેનું આયોજન ભરૂચ આરટીઓ અને લેબર કચેરીના અધિકારીઓની સાથે રાખીને કરવામાં આવ્યું છે તો આ તકે જે કોઈપણ ઓટોરિક્ષા ચાલકો હોય તેમને પોતાનું ઇશ્રમ કાર્ડ બનાવવા માટે ભરૂચ આરટીઓ અને જય ભારત ઓટોરિક્ષા અસોસિએશન દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ અને ઉપપ્રમુખ આબિદ મિર્ઝા અને આરટીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માતાની મરજીથી સગીર વયની બાળકી પર થતો અત્યાચાર.નરાધમ છેલ્લા ૩ વર્ષથી અવાર-નવાર બળાત્કાર ગુજારતો હતો.જાણો ક્યાં ?મહિલા કલ્યાણ વિભાગ,માનવ અધિકાર પંચ,બાળ વિભાગ સામે સળગતો સવાલ…

ProudOfGujarat

નેત્રંગનાં મોટામાલપોર ગામે સસ્તાં અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા મામલતદારને જાણ કરી હતી.

ProudOfGujarat

દેશભરમાં બની રહેલા દુષ્કર્મની ધટનાઓનાં ધેરા પ્રત્યાધાત પડીયા છે દેશનાં લોકોમાં નરાધમો પ્રત્યે રોષ ભારે આક્રોશ છે જેમાં દેશભરમાં નરાધમોને કડક સજાની માંગણી કરવામાં આવી છે જેમાં ભરૂચનાં જાગૃત નાગરિકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતાં કાર્યક્રમ કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!