Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામે બીમારીથી પીડાતી મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મોત નીપજ્યું.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની બીમાર મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મહિલાનું મોત નિપજયું હતું. ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતી શરીફાબેન ઇશાકભાઇ મુલતાની ઉંમર ૪૮ પ્રેશર અને થાઇરોઇડની બીમારીથી પીડાતી હતી. ગતરોજ આ મહિલા પોતાના ઘરે એકલી હતી ત્યારે પ્રેશરની દવાના બદલે ભૂલથી મહિલાએ માથાના વાળની જુ મારવાની દવા પી લીધી હતી. મહિલાને તાત્કાલિક સારવાર માટે માડવીના તડકેશ્વરની શીફા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હતું. આ ઘટનાના સંદર્ભમાં મરણ જનારના પુત્ર સિરાજ મુલતાનીએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની આજે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત થતા અંકલેશ્વર પાનોલી સહિતના રાજ્યના અન્ય ઉદ્યોગકારોમાં આનંદ ની લાગણી ફેલાઇ છે.

ProudOfGujarat

ભરૂચ-ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું-પોલીસે વધુ તપાસ હાથધરી…

ProudOfGujarat

અમદાવાદમાં જાહેરમાં પેશાબ કરતા 8 લોકોના ફોટા પાડી મ્યુનિ.એ રૂ.100 દંડ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!