Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

Share

નવા વર્ષની શરૂઆતે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુતની અધ્યક્ષતામા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામા આવ્યો.

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જૂનભાઈ રાઠવાએ કાર્યક્રમ સંબોધતા જણાવ્યુ કે જો ભાજપ કોંગ્રેસે 2022 સુધીમાં રાઠવા કોળી અને 24 એલઆરડી ઉમેદવારોના પ્રશ્નનોનો કાયમી ધોરણે ઉકેલ લાવવો જોઈએ અને પોતાના નામે એક સારુ કામ સાબિત કરવું જોઈએ, જો તેમ નહીં થાય તો આમ આદમી પાર્ટી 2022 માં સરકાર બનતાની સાથે જ આ પ્રશ્નોનો ઉકેલ લાવી દેશે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જૂનભાઈ રાઠવા, પ્રદેશ મહામંત્રી મયંકભાઈ શર્મા, જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત, મહિલા પ્રમુખ લીલાબેન રાઠવા અને જિલ્લા તથા તાલુકાના વિવિધ સેલના પ્રમુખ અને મહામંત્રી સાથે દરેક તાલુકાના કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં સતત સાતમી વખત અરૂણસિંહ રણા બિનહરીફ ચેરમેન તરીકે નિમાયા.

ProudOfGujarat

ખેડા : મહુધાના મીનાવાડા ગામે દર્શન કરવા જતા દંપતીને અકસ્માત નડ્યો.

ProudOfGujarat

સુરતમાંથી ચાર કરોડની બનાવટી નોટ સાથે ઠગ ટોળકીના છ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!