Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત : 31 ઓક્ટોબરના રાષ્ટ્રજોગ સંબોધન કરશે

Share

પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે. મહત્વનું છે કે ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, અહીં ઉલ્લેખનિય છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભાજપની તમામ પેનલોનો ભવ્ય વિજય થતા વડાપ્રધાન મોદીએ ટ્ટ્વીટ કરી, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત તમામને જીતની શુભેચ્છાઓ આપી હતી, જો કે ગુજરાતના રાજકારણમાં બદલાવ બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવનાર છે ત્યારે ગુજરાતમાં ત્યારે ગુજરાતને લઈને મહત્વનું જાહેરાત પણ કરવામાં આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ગુજરાતમાં સત્તા પરિર્વતન બાદ નવી સરકાર રચાઈ છે એવામાં ગુજરાતમાં ભાજપના સિનિયમ મંત્રીઓને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, આજે જ જૂના મંત્રીઓને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તેમજ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપાના મોટા નેતાઓને ભાજપની આ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે એવામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે.અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોકે કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરીને ભાજપમાં અળખામણાં થયા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદીઓને મળશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ : 600 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મોહરમના પર્વ નિમિત્તે એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે મુસ્લિમ બિરાદરો સાથે ખાસ બેઠક યોજાઈ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!