Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત લાભોનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાના ગોપાલીયા ગામે સરકારી કન્યા છાત્રાલય ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને ગેસકીટ અને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તાલુકામાં ઠેર-ઠેર વૃક્ષારોપણ રક્તદાન કેમ્પના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકાના ૬૬ જેટલા લાભાર્થીઓને ઉજ્વલા યોજના અંતર્ગત મફત ગેસ કીટ અને અનાજનું વિતરણ તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી, સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય દરિયાબેન વસાવા, ઉપ પ્રમુખ વિપુલભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમીશભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, કુંતાબેન વડવી, સહિતના આગેવાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ગેસ એજન્સી અને સસ્તા અનાજની દુકાનના સંચાલક કુસુમબેન વસાવા સહિત સરકારી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

બુટલેગરોની પસંદ પાનોલી – નશાના વેપલાનું હબ બન્યું અંકલેશ્વર..? પહેલા ડ્રગ્સ, પછી શરાબના ગોડાઉનો અને હવે પાનોલીમાં ફિલ્મી સ્ટોરીની જેમ દારૂનું કટિંગ થતું સામે આવ્યું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા ટોકિસકોલોની સેન્ટર શરૂ થાય એ જરૂરી….

ProudOfGujarat

નર્મદા જિલ્લાની માટીનું ઉદયપુર (રાજસ્થાન) ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયું પરિક્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!