Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઘણા મહિનાની ઉકળાટ બાદ મેહુલિયો મન મૂકીને વરસ્યો : વાતાવરણમાં ઠંડકનો અનુભવ.

Share

આખરે મેહુલિયો વરસ્યો, ભરૂચ પંથકમાં બપોર બાદથી મેઘરાજાનું આગમન થયું હતું. છેલ્લા એક મહિનાથી પંથકમાં ઉકળાટનો માહોલ હતો. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 18 થી 23 ઓગષ્ટ દરમિયાન સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવાં મળશે. વરસાદી આગાહીનું કારણ બંગાળની ખાડીમાં લો પ્રેશર હોવાનું એક અહેવાલ અનુસાર જાણ થઈ હતી.

ભરૂચ પંથકમાં લોકોએ આ વર્ષે વરસાદને લઈ અને આશા જ છોડી દીધી હતી ત્યારે આજરોજ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. લોકોને કાળઝાળ ગરમીમાંથી હવે છુટકારો મળશે જેથી લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. પંથકના ખેડૂતો કે જેનો પાક નિષ્ફળ જવાને આરે હતો તેઓમા ખુશીનો માહોલ સર્જાયો હતો. ભરૂચ જીલ્લામાં લગભગ એક મહિના પછી વાદળછાયું વાતાવરણ થઈ અને મેઘરાજા વરસ્યા હતા.

Advertisement

ચિંતાતુર બનેલા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. નાનાં ભૂલકો સહિત મોટાઓ પણ વરસાદી પાણીમાં નાહવા અને કાળઝાળ ગરમીમાથી ઠંડક અનુભવા ઘરની બહાર નીકળી અને વરસાદની મજા માણી હતી. આ વર્ષે દર વર્ષ કરતાં વરસાદનું પ્રમાણ ઓછું જણાઈ રહ્યું છે.

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

રાજપીપળા : સેલંબા હાઈસ્કુલમાંથી કુલ રૂ. ૩૭,૫૦૦/-ના માલમત્તાની ચોરી કરી ચોર ફરાર.

ProudOfGujarat

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓપરેટિવ બેંકમાં ડાયરેકટર પદે ફોર્મ રદ કરાતા હરીફ ઉમેદવારોનું રાજકીય કાવતરું હોવાનું સંદીપ માંગરોલાની શંકા : પ્રાંત અધિકારી ઓફિસની બહાર બેઠા ધરણાં પર…

ProudOfGujarat

ઝઘડીયા ત‍ાલુકાના સારસા ડુંગર પર ચોમાસા દરમિયાન મનોહર દ્રશ્ય સર્જાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!