Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ભરતમુનિ હોલમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Share

વડોદરા જિલ્લાના કરજણ ભરત મુનિ હોલમા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા જામ્બુવા ચોકડીથી કરજણ તરફથી પ્રયાણ કર્યો હતો તેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી, યાત્રા પ્રભારી જનકભાઈ પટેલ, દિપીકાબેન રાઠવા, રૂઠ ઇન્ચાર્જ પ્રફુલભાઇ પાનસેરીયા ઉપસ્થિત રહયા હતાં. તેઓનું કરજણ -શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ શિનોરના ભૂતપૂર્વ ધારાસભ્ય સતિષભાઈ (નિશાડીયા)પટેલ, કરજણ નગરપાલિકાના પ્રમુખ મીનાબેન ચાવડા, કરજણ નગરપાલિકાના ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ જેવા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જન આશીર્વાદ યાત્રાનો મુખ્ય હેતુ પ્રજાનું સ્વાગત, મંદિર દર્શન, દરેક સમાજના આગેવાનોની મુલાકાત, રમતવીરોને મળવાનું, સાધુ સંતોની સાથે મુલાકાત લઈ મિટિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેને દરેક સમાજના આગેવાનોએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

જંબુસરના કલક માર્ગ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ ગોજારાં અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી અષાઢી બીજ ના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથ ની 36 મી રથયાત્રા ની તડામાર તૈયારીઓ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની આનંદ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!