રાજશ્રી પોલિફિલ કંપની ઝગડિયા તાલુકાનાં ઉમલ્લા ગામ પાસે આવેલી બી.કે.બિરલા ગ્રૂપની કંપની દ્વારા સમયાંતરે વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરતી રહેતી હોય છે.
તા. ૧૨.૦૮.૨૦૨૧ ના રોજ રાજશ્રી પોલિફિલ કંપની ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં કંપનીના કુલ ૬૪ કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કાર્યક્રમ કંપનીના સિનિયર અધિકારીઓની હાજરીમાં સંપન્ન થયો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
Advertisement