Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ: ઔદ્યોગિક એકમોને કારણે થઈ રહેલા ખેતીને નુકશાન અર્થે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને લેખિત રજૂઆત કરી.

Share

હાલ ભરૂચ, જંબુસર, વાગરા, દહેજ અને વડોદરા જિલ્લાના કરજણ શિનોર, પાદરા અને ભરૂચ તાલુકાનાં અનેક ગામડાઓના તુવેર, કપાસ, શાકભાજી સહિતના ખેતીલાયક પાકોમાં સ્થાનિક ઔદ્યોગિક એકમોના વાયુ પ્રદૂષણને કારણે ખેતી નિષ્ફળ જવા પામી છે.

અગાઉ પણ ખેતીના નુકશાનના સર્વે બાબતે અનેક રજૂઆતો કોંગ્રેસી અગ્રણી સંદીપ મગરોલા દ્વારા કલેક્ટર ભરૂચ, વડોદરા અને સરકારમાં કરવામાં આવી છે. હાલમાં ચોમાસુ પણ નબળું છે એવામાં ખેડુતો પાસે ખેતરોમાં બગડેલો પાક સાફ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઘણા ગામડાના ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાકને સાફ કરવાનું શરૂ કરી દીધું છે. આવા સંજોગોમાં સરકાર તરફથી ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી હજી સુધી શરૂ કરી નથી.

Advertisement

જે ખેડૂતોએ ખેતરમાં નિષ્ફળ ગયેલો પાક સાફ કરી દીધો છે એ ખેડૂતો આ સર્વેથી વંચિત ન રહી જાય એ માટે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ કલેકટર ભરૂચ અને વડોદરા તથા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ગુજરાત રાજ્યને પત્ર લખી તત્કાલી સર્વે અંગે શરૂઆત કરવા માંગ કરી હતી.


Share

Related posts

વડોદરાના નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીના મુદ્દે મહિલાઓનો કલેકટર કચેરીએ હલ્લાબોલ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત “ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન ૨.૦ ” ના ભાગરૂપે ભાઇઓની ૨ કિ.મિ. ની દોડ યોજાઇ.

ProudOfGujarat

નડિયાદમાં અજાણ્યા શખ્સ દ્વારા હનુમાનજીની મૂર્તિને ખંડિત કરાતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!