Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે વાઘેશ્વર મંદિરનો પતરાનો શેડ વાવાઝોડામાં ઉડયો.

Share

હાલમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ ઘણા સ્થળોએ તબાહી સર્જી છે, ત્યારે નર્મદા કાંઠા વિસ્તારમાં પણ મોટાપાયે નુકસાન થયું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ પ્રાચીન વાઘેશ્વર મહાદેવ મંદિરને પણ વાવાઝોડામાં મોટું નુકસાન થયું છે. ગૌશાળા તથા મંદિર પરિસરમાં ૪૦ થી ૬૦ જેટલા પતરાનો એંગલો અને ચેનલોથી બનાવેલ શેડ વાવાઝોડામાં ઉખડીને દૂર ફેંકાઈ ગયો હતો. ભારે પવનના પગલે ચેનલો અને એંગ્લો સાથે આખો શેડ ઉખડીને મંદિર પરિસરમાં જ ૫૦ ફૂટ જેટલો દૂર ફેંકાઈ ગયો હતો. સદનસીબે મંદિર પરિસરમાં રહેતા ઈસમોને કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ મોટો શેડ વાવાઝોડામાં ઉડી જવાથી મોટુ નુકસાન થયું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ફાયર સેફટીની ટ્રેનિંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં યોગ કોચ કામિનાબા દ્વારા ચાલતી યોગ ટ્રેનરની તાલીમ… જાણો વધુ.

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!