Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં પત્રકારોને નગરપાલિકા ખાતે ઉકાળો તેમજ આર્યુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચ શહેરના પત્રકારો માટે આરોગ્ય ખાતાનાં સંયુકત ઉપક્રમે આર્યુર્વેદિક દવાઓ તેનાજ ઉકાળાનું વિતરણ કરાયું હતું.

આ તકે નગરપાલિકાનાં પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પત્રકારો ચોથી જાગીર કહેવાય છે ગમે ત્યારે પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે ખડે પગે રહે છે. સમાજમાં બનતી કોઈ પણ ઘટનાને તેઓ લોકો સુધી પહોંચાડે છે. આથી પત્રકારોનું સ્વાસ્થય સારું રહે તે માટે ભરૂચ આરોગ્ય શાખા નગરપાલિકા દ્વારા ઉકાળા વિતરણ અને આર્યુર્વેદિક દવાઓ, હોમિયોપેથીની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ઈલેકટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ લાભ લીધો હતો. આગામી સમયમાં પત્રકારોનું સ્વાસ્થય સારું રહે તેઓ મજબુતીથી પોતાનું કાર્ય કરી શકે તે માટે તેમને આ ઉકાળા અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે આંબેડકર ભવનની સામે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાનના ઉડયા ધજાગરા.

ProudOfGujarat

ઝઘડિયાની કંપનીના કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગનાર ઇસમે ફરિયાદની રીષ રાખીને જાનથી મારી નાંખવાની ધમકી આપી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં જ્ઞાન સંપ્રદાય દ્વારા પરમહંસ સુખાનંદજી મહારાજના 75 માં નિર્વાણ દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!