Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં છે… જાણો.

Share

જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધુળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ ઇલ્લાજીની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે જેમાં યુવાઓ ભાઇઓ બહેનો જોડાઈ છે.

જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલીકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબ જ આળોટે છે અને અલગ અલગ કલરના ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું. ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયાં હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ BJP દ્વારા 4 પાલિકા, 1 જિલ્લા અને 9 તાલુકા પંચાયત માટે ઉમદેવારોની યાદી જાહેર…

ProudOfGujarat

ભરૂચ : આપ દળ થયું મજબૂત : ભાજપના યુવા સક્રિય કાર્યકર અભિલેશસિંહ ગોહિલ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા…

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડતા આદિવાસીઓને અધિકાર પત્ર આપી ૭/૧૨ અને ૮/અ ની નકલ આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!