Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી જે.બી કેમિકલ કંપનીની બાજુમાં આવેલાં ઝુંપડાઓમાં આગ લાગી.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં ઝુંપડાઓમાં આગ લાગતાં શ્રમિકો ભારે ચિંતામાં મુકાય ગયા હતા. જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ જે.બી કેમિકલ કંપનીની બાજુમાં આગ લાગતાં શ્રમજીવીઓનાં ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ જે.બી કેમિકલ કંપનીની બાજુમાં શ્રમિકો ઝુંપડામાં વસવાટ કરતાં હોય છે ત્યારે આજે ઝુંપડાઓમાં કોઈ કારણસર આગ લાગી હતી જેના પગલે સમગ્ર ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા અને શ્રમિકો ઘર વિહોણા બન્યા હતા. આગ લાગતાં જ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

મોરબી-વાંકાનેરના મેસરિયા ગામ નજીક આવેલ રિયલ ફોર્મ નામની ફેકટરીમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

૨૨-ભરૂચ સંસદીય મત વિભાગમાંથી લોકસભાના સભ્‍યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો જોગ…

ProudOfGujarat

ચંદીગઢ યુનિવર્સિટી MMS કેસમાં મોટો ખુલાસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!