Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ પાણી નહીં મળે ..!!! જાણો કેમ ?

Share

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ પાણી નહીં મળે. અંકલેશ્વરની કેનાલની કામગીરીને કારણે આ વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ સુધી પાણી વગર ચલાવવું પડશે અથવા અંકલેશ્વરનાં રહેવાસીઓએ ટેન્કર મંગાવી પાણી મેળવવું પડશે.

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રાજપીપળા ચોકડી પાસે કેનાલની કામગીરીને લઈ અંકલેશ્વરનાં રહેવાસીઓએ બે દિવસ પાણી વગર ચલાવવું પડશે. નગરપાલિકાનાં તળાવમાં આગામી પાંચ દિવસ સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો છે. એક તરફ કોરોના કાળ છે જેમાં સરકાર દ્વારા નાગરિકોને વારંવાર હાથ ધોવાની સૂચના આપવામાં આવે છે આવા સંજોગોમાં ધનાઢય પરિવારો તો પાણીનાં ટેન્કર અથવા અન્ય કોઈ રીતે વ્યવસ્થા કરી શકે પરંતુ મધ્યમ વર્ગીય પરિવારો પાણી વગર બે-બે દિવસ સુધી કેમ કામ કરી શકે ? તેવા અનેક પ્રશ્નો આ વિસ્તારનાં રહેવાસીઓનાં મુખે ચર્ચાઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

સચિન બંસલના નાવી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડે એનએફઓમાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ મેળવ્યું : ફંડનો ખર્ચ ગુણોત્તર સૌથી ઓછો છે, આ ફંડ હવે સબ્સ્ક્રીપ્શન્સ માટે ખુલ્યું.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગામ પંચાયત સાહોલ ખાતે 78માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ગોધરા :વિશ્‍વ યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામા બેઠક મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!