Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત બંધનાં એલાનને સમર્થન આપતા રાષ્ટ્રીય વિકાસ સંધનાં રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદસિંહ રણા…

Share

કૃષિ કાયદાનાં વિરોધમાં જયારે દેશનાં ખેડૂત લડત આપી રહ્યા છે ત્યારે દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં ખેડૂતો ભેગા થઈ રહ્યા છે પોતાની વ્યાજબી માંગ અંગે ખેડૂતો પર વોટરકેનન એટલે કે પાણી મારો અને લાઠી ચાર્જ કરવામાં આવે છે જેનો ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ વિરોધનાં ભાગરૂપે તા. 8/12/2020 નાં રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનનાં પગલે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંધનાં પ્રમુખ અરવિંદસિંહ રણાએ સમર્થન આપેલ છે તેમણે જણાવ્યુ છે કે કૃષિ કાયદા અમલમાં દેશનાં ખેડૂતને વધુમાં વધુ ગરીબ થશે તેમજ આપણા ખેતરની ઉપજ મૂડીવાદીઓને વધુ કિંમત આપી ખરીદવી પડશે. ચારે તરફથી શોષણની રીતિનીતિ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અપનાવી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા આપવામાં આવેલ ભારત બંધનાં એલાનને અમે ટેકો જાહેર કરીએ છે સાથે જ મહંમદપુરા એ.પી.એમ.સી. નાં વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખે તેવી અપીલ કરીએ છીએ.

Advertisement

Share

Related posts

મહેમદાવાદના કરોલી પાસે રૂ ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ.

ProudOfGujarat

ઝઘડિયાના લીમોદરા ગામ ખાતે શરીર પર પેટ્રોલ છાંટી યુવકનો આપઘાત.

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં વહીવટકર્તાઓની અરજી હાઇકોર્ટે ફગાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!