Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં માલજીપુરા નજીક બાઇક સવાર ઇસમનું કારની અડફેટે મોત.

Share

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકાનાં કોલીવાડા ગામે રહેતા શાંતિલાલ ઈશ્વરભાઈ વસાવા ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેમનો પુત્ર હરેશ વસાવા તેની હોન્ડા સાઇન ગાડી લઇ કોલીવાડાથી વાલીયા તાલુકાના ચમારીયા ગામે જવા નીકળ્યો હતો. શાંતિલાલભાઈ તેમના ઘરે હતા ત્યારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેમના પર તેમના ગામના પિયુષભાઈ વસાવાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા પુત્ર હરેશને વાલીયાથી નેત્રંગ તરફ જવાના રસ્તા ઉપર માલજીપુરા ગામના પાટિયા પાસે ફોરવ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી છે. શાંતિલાલભાઈ તેમની ગાડી લઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમનો છોકરો માલજીપુરા ગામના પાટિયા પાસે અકસ્માત થયેલી હાલતમાં પડયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું. ત્યાંથી થોડે દુર એક કાર પણ અકસ્માત થયેલ હાલતમાં પડેલી હતી, પરંતુ તેનો ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. શાંતિલાલ ઈશ્વરભાઈ વસાવાએ કાર ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી મંડળના તમામ મહિલા સહિતના તલાટી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ – વાગરા પોલીસ મથકના ઓછાણ ગામમાથી સગીર કિશોરીને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ

ProudOfGujarat

જંબુસર : નવયુગ વિદ્યાલય પ્રમુખના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!