Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ખેતરોમાં શાકભાજી સડી ગઈ છે અને નગરોમાં શાકભાજી મોંધી કેમ ?

Share

ભરૂચ જીલ્લામાં શાકભાજી અંગે ખૂબ દુખ દાયક પરિસ્થિતીનું સર્જન થયું છે. જયાં એકબાજુ ખેતરોમાં શાકભાજી સડી રહ્યા છે અને બીજીબાજુ ભરૂચ નગરનાં અને જીલ્લાનાં મહત્વનાં નગરોમાં શાકભાજી મોંધાં વહેંચાઇ રહ્યા છે. શાકભાજી પકવતા ભરૂચનાં ખેડૂતનાં જણાવ્યા અનુસાર પૂર અને ભારે વરસાદનાં પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા જેના પગલે હજી પણ ખેતરોમાં કાદવ અને દલદલની પરિસ્થિતી છે. આ પરિસ્થિતીમાં ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી જેના પગલે શાકભાજી ખેતરોમાં સડી રહી છે. તેને તોડી લાવી શકાય તેમ નથી તો બીજી બાજુ ભરૂચ જીલ્લાનાં નગરોમાં શાકભાજીની આવક ઓછી થતાં શાકભાજીનાં ભાવમાં ડબલ કરતાં વધારે વધારો થતાં મહિલાઓનાં બજેટ ખોરવાય ગયા છે. શાકભાજી પકવતા ખેડૂતો સરકાર પાસે તેમને થયેલ નુકસાનનું વળતર અને નવી શાકભાજી પકવવા અંગે સહાયની માંગણી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

ProudOfGujarat

રક્ષાબંધન નો પર્વ નજીક હોવાછતાં બજારોમાં મંદીનું વાતાવરણ જાણો કેમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!