Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ગામોમાં નર્મદા નદીનું પૂર ઓસરતા સ્થળાંતરિત પરિવારોની વતન વાપસી.

Share

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઇને નર્મદા ડેમમાં પાણીનો ભરાવો થતાં નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા પુરની પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારના ઓરપટાર, જુની તરસાલી, જુના ટોઠિદરા, જુના પોરા જેવા કાંઠાના ગામોમાં પુરના પાણી ભરાતા આ ગામોના પુર અસરગ્રસ્ત પરિવારોનું સ્થળાંતર કરાવાયુ હતુ. બાદમાં વરસાદે વિરામ લેતા સરદાર સરોવરમાં પાણીની આવક ઘટતા નદીમાં છોડાતા પાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.તેને લઇને નર્મદામાં પુરના પાણી ઓસરતા હવે આ પુર અસરગ્રસ્ત પરિવારો પોતાના ગામોએ પાછા ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારના ગામો પુર ગ્રસ્ત બનતા આ ગામોના અસરગ્રસ્ત પરિવારોને ભાલોદ, નવી તરસાલી, નવા ટોઠિદરા અને અવિધા ગામોએ ઉભા કરાયેલા રાહત કેમ્પોમાં આશરો આપવામાં આવ્યો હતો. કાંઠાના ગામોના પુરગ્રસ્ત માણસો અને પાલતુ પશુઓનું સ્થળાંતર કરાવાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

તીર્થધામ અંબાજીમાં માઈ ભક્તોને મળશે નવું નજરાણું.

ProudOfGujarat

ભરૂચ શહેરના શક્કર તળાવ વિસ્તારમાં થઈ રહેલ ગે.કા. બાંધકામની ફરિયાદમાં 6 વખત બૌડાના અધિકારીઓએ કામ બંધ કરવા ગયા, બિલ્ડરે ફરી કામ શરૂ કર્યું.

ProudOfGujarat

છેલ્લા ૭-૮ માસ થી વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!