Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી પંથકમાં ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા.

Share

લીંબડી લખતર સ્ટેટ હાઇવે પર તંત્રની બેદરકારીનાં કારણે તાવી ડોરી હનુમાનજી મંદિરની પાસે કોઝવેની જગ્યાએ નાળુ ના મુકાતા હજારો વીઘા જમીન પાણીમાં ડૂબી જતાં જગતનાં તાતની ચિંતામાં વધારો થયો હતો. આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં લીંબડીથી લખતર સુધીના 36 કિલોમીટરમાં ફક્ત આ એક જ કોઝવે પર નાળુ બનેલ નથી તથા ગુજરાત સરકારની લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ કોઝવેની જગ્યાએ નાળુ મંજૂર થઈ ગયેલ હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં નાળુ બનેલ નથી ત્યારે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં અને ખેડુતોના પાકમાં પાણી ફરી વળ્યા ત્યારે જગતનો તાત કહેવાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસને મોટરસાયકલ ઉઠાંતરી કરતા આરોપીને ઝડપી લેવામાં મળેલ સફળતા

ProudOfGujarat

હિરાસર એરપોર્ટમાં ફરી વિઘ્ન : ૧૩ જમીન ધારકોનો વળતર લેવા સહમતી ન આપી

ProudOfGujarat

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભરૂચમાં અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!