Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસનું અણુ બોમ્બ ફૂટયો હતો એકસાથે 47 જેટલા લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાનાં લોકોમાં કોરોના વાયરસને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.

Share

ભરૂચ જિલ્લામાં અનલોકનાં બીજા તબક્કામાં કોરોનાનું સંક્રમણ રોકેટની ગતિએ થઈ રહ્યું છે દિવસે દિવસે કોરોનાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે હાલ તો ભરૂચ અને અંકલેશ્વર શહેર તાલુકો કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધુ છે હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે આજે ભરૂચ જિલ્લાના આઠ તાલુકાઓમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 47 ઉપર પહોંચી હતી. જેમાં ભરૂચ શહેર તાલુકામાં 15, આમોદ પંથકમાં 2, અંકલેશ્વરમાં 14, જંબુસર પંથકમાં 3, વાગરા પંથકમાં 1, હાંસોટમાં 1,વાલિયા 1, ઝધડીયા 1, નેત્રંગ 9 કોરોના દર્દીઓ નોંધાયા હતા. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં આ આંકડો 606 લોકો સુધી પહોંચી ગયો છે. આમ જિલ્લામાં સંક્રમણ થતાં હવે અનેક વિસ્તારોને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરવાની ફરજ પડી છે. અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ, વાગરા અને ભરૂચ તાલુકામાં અનેક વેપારીઓ પોતાની દુકાનો બે વાગ્યા સુધીમાં જ બંધ કરવા મજબૂર બન્યા છે. જીલ્લામાં આજે 35 દર્દીઓ સાજા થતાં તેમણે રજા આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગ : અંડર – 19 ની શાળાકીય યોજાયેલી એથ્લેન્ટીક સ્પર્ધામાં થવા હાઈસ્કુલની વિધાર્થિનીઓ ઝળકી.

ProudOfGujarat

અંકલેશ્વર : રાજપીપલા ચોકડી પાસે ઇન્ડિયા ટ્રેડ સેન્ટરનું ગ્રાઉન્ડ ફલોરનું છત અચાનક ધરાશાયી થયું.

ProudOfGujarat

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સદ્ ભાવના મિશન દ્વારા બહારપુરા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!