Proud of Gujarat
INDIAFeaturedGujarat

બપોરે 4 વાગ્યે દુકાનો બંધ રાખવાના જાહેરનામાનાં પગલે નેત્રંગમાં ખાતર બિયારણ અને યુરિયાની ખરીદી માટે બજારોમાં લાંબી કતારો જોવા મળી.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીનાં પગલે બપોરે 4 વાગ્યે દુકાનો બંધ કરવા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેની વિવિધ અસરો ભરૂચ જીલ્લામાં જણાઈ રહી છે. જેમ કે નેત્રંગ ખાતે યુરિયા ખાતર લેવા માટે 4 વાગ્યાના લોકો લાઇનમાં ઊભા રહી ગયા હતા અને ખાતર લેવા પડાપડી કરી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ અંગેની કાળજી લેવાઈ ન હતી. આદિવાસી વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં પણ આવી જ પરિસ્થિતીનું સર્જન થયું હોય તેવી માહિતી સાંપડી રહી છે. હાલ જયારે ખેતીકામનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે ખેડૂતો ખાતર અને બિયારણ માટે પડાપડી કરી રહ્યા છે ઠેરઠેર કતારો જણાઈ છે. ખાતર અને બિયારણ મેળવવાની ઉતાવળમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી કેટલા સ્થાને તો ચંપલો મૂકી લોકોએ લાઇન લગાવી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે.

Advertisement

Share

Related posts

ડાકોરમાં રણછોડરાય મંદિરના દરવાજા નજીક બે આખલા બાખડતા લોકોમાં અફરાતફરી.

ProudOfGujarat

વન વિભાગ દ્વારા જાંબુગોઢા અભિયારણ અને સિવરાજપુર માં કેમિકલ ખાલી કરવા માટે ના મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના ગુડડું ની ધરપકડ…

ProudOfGujarat

ભરૂચ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અંકલેશ્વરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન..!:

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!