Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં આજે વધુ ૮ જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઇને જિલ્લામાં કુલ 203 લોકો કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે.

Share

ભરૂચ જિલ્લામાં આમોદનાં ઇખર ગામેથી કોરોના પોઝિટિવનાં ચાર દર્દીઓથી શરૂઆત થઇ હતી અને ત્યારબાદથી ચોથા તબક્કાનાં લોક ડાઉન દરમિયાન જિલ્લામાં ૪૦ જેટલા લોકો કોરોના પોઝિટિવ થયા હતા મૃત્યુઆંક ત્રણ હતો પરંતુ પાંચમા તબક્કાનાં લોક ડાઉનમાં મળેલી છૂટછાટ બાદ લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવતા હવે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં દર્દીઓમાં વધારો થયો હતો. જિલ્લામાં રોજ પાંચથી આઠ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ઝઘડિયા અને જંબુસર મળીને આઠ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જ જિલ્લાનું વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. આરોગ્ય વિભાગની ટીમે લોકોનું મેડિકલ તપાસ શરૂ કર્યું હતું ત્યારે આજે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાંથી સાત જેટલા લોકોએ કોરોના વાયરસને હરાવીને સાજા થઈને ઘરે જતા હાજર તબીબોએ તાળીઓનાં ગડગડાટથી તેઓને વિદાય આપી હતી. જયારે ભરૂચ જિલ્લામાં આજે આઠ દર્દીઓ જંબુસર અને જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લેવા માટે પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લામાં હમણાં સુધીમાં ફુલ 203 જેટલા લોકો સંક્રમિત થયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂંપડામાં લાગી આગ.

ProudOfGujarat

ડાંગ : સુબીર તાલુકાના કર્મચારીઓની નવી પેન્શન યોજનાને લઈ અનોખો વિરોધ જોવા મળ્યો.

ProudOfGujarat

નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યને લઈને યોગ્ય વિચારણા કરવા આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!