Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાની શાળાઓ દ્વારા કોરોના મહામારીને લઈને શાળાની ફી માફ કરે તેવી માંગણી કરતું આવેદનપત્ર આમ આદમી પાર્ટીનાં આગેવાનો દ્વારા જીલ્લા કલેકટરને આપી રજૂઆત કરી હતી.

Share

આજરોજ ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટીનાં અગ્રણી જીલ્લા પ્રમુખ મુસ્તાક પટેલ, મુન્નાભાઈ શેખ, સાદીકભાઈ લવલી, હેમાંગ ચૌહાણ, ગોપાલ રાણા તેમજ કે.પી. શર્મા દ્વારા આજે ભરૂચ જીલ્લા કલેકટરને આપેલ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે હાલ કોરોના મહામારીને લઈને લોકો કામ ધંધા વિનાનાં થઈ ગયા છે. આજે અનેકો કામ ધંધા બંધ હોવાથી રોજગારીની ગંભીર સમસ્યા છે ત્યારે ભરૂચ જીલ્લાની તમામ શાળા-કોલેજો દ્વારા કોરોના મહામારી અને બેરોજગારીને લઈને શાળાની ફી માફી આપવામાં આવે તેવી માંગણી કરી જીલ્લા કલેકટરને આ અંગે રજૂઆત કરી હતી. તેમજ શાળા-કોલેજની ફી સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : પ્રતાપ નગર બ્રિજની હાલત કફોડી, વિકાસની વાતો કરતાં સત્તાધીશો જર્જરિત બ્રિજનું સમારકામ ક્યારે???

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના હરીફો મજબૂત-ચૂંટણી જીતવા કમર કસવી પડશે..!!

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તથા વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાઓના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!