Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેડ ઇન ચાઇનાનો સંપૂર્ણ બહિષ્કાર કરવા જમીયતે પાલેજમાં જનતાને આહવાન કર્યું.

Share

ભારત અને ચીનની સરહદે ચાલતાં તણાવમાં ભારતનાં અનેક જવાન શહીદ થયાં છે. ત્યારે ચીનની આંડોડાઈ સામે દેશ ભરમાં આંતરિક રોષ ફેલાયો છે. તેવામાં પાલેજ જી.ભરૂચ ખાતે ચાઈનીઝ આઇટમોનો બહિષ્કાર કરવામાં આવે એવું આહવાન જમીયતનાં સેક્રેટરીએ કર્યું હતું.પાલેજ ખાતે સોમવારે 11 કલાકે જન મેદની દ્વારા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.પાલેજ અંકુર સોસાયટી નજીક જમીયતની ઓફિસે ચાઇનાની આઇટમોનો બહિષ્કાર કરવાનું આહવાન ગુજરાત જમીયતનાં સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલે કર્યું હતું. બેનરો સાથે ચીનનો વિરોધ નોંધાવી દેશવાસીઓમાં જાગૃતા ફેલાવી હતી. આ તકે પાલેજનાં મુસ્તુફાભાઈ લાંગિયા, મહંમદ સફી પટેલ, મકસૂદ ઈબ્રાહીમ મુકરદમ પટેલ, દેવીલાલ, મહેશ મિસ્ત્રી, પ્રભુ રાજેસ્થાની ઉપસ્થિત રહ્યાં હતાં.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચમાં હ્યુન્ડાઇ નવજીવન પ્લાઝા ખાતે SUV સેગમેન્ટની ફેમિલી કાર ‘અલકઝાર’ લોન્ચ કરાઈ SBI બેન્ક એક જ દિવસમાં પૂરેપૂરી લોન મંજુર કરી આપશે

ProudOfGujarat

ગોધરા : કોરોના મહામારીમાં સેવા બદલ ગીતાબેન લુહાણાનું લાયન્સ કલબ દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં મોટા હોલસેલ ગુટકાનાં વેપારીઓ ખુબ ઉંચા ભાવે વેચાણ કરી રહ્યા હોય તેવી બૂમો નેત્રંગ તાલુકાની જનતા ઉઠી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!