Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં મોરતલાવ ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી.

Share

ઝઘડીયા તાલુકાનાં મોરતલાવ ગામ નજીક કરજણ નદીની કેનાલમાંથી એક અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, આ લાશ પાણીના પ્રવાહમાં તણાઇને આવી હોય તેમ જાણવા મળયુ હતું. આજરોજ સવારે ઝઘડિયા પોલીસને કોઇ વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મોરતલાવ ગામ નજીક કરજણ નદીની કેનાલમાં એક અજાણ્યા ઇસમની લાશ તરતી દેખાય છે. ત્યારબાદ ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી ત્યાર બાદ લાશને પી.એમ. અર્થે વાલીયા હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. આ વ્યક્તિ જમણા પગેથી અપાહિજ જેવો લાગી રહયો છે અને શરીર પર પેન્ટ પહેરેલી છે તેમજ પાંચથી છ ફૂટની ઊંચાઈ અને ઉંમર આશરે ૩૮ વર્ષ જણાય છે, આ વ્યક્તિની કોઈ ઓળખ ના થવાથી એ કોણ છે અને કેવી રીતે મૃત્યુ થયું છે એ દિશામાં તપાસ કરવા ઝઘડિયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વલણ ગામે ટી. કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર સર્કિટ હાઉસમાં દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં વોર્ડ નં.૯ માં ગંદકી અને કચરાના ઢગથી રહીશો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!