Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં વોર્ડ નં.-8 માં જરૂરિયાતમંદ લોકોને ગણેશ સુગર ફેકટરીનાં ચેરમેન દ્વારા અનાજકિટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

હાલ લોક ડાઉનનો ત્રીજો તબકકો શરૂ થઈ ગયો છે વધુ 14 દિવસ લોકોને ઘરમાં જ બેસી રહેવા મજબુર થવું પડશે. કામ ધંધા નથી ત્યારે ઘરમાં રહીને જીવન જીવવાનું મુશ્કેલ બનશે તેવી પરિસ્થિતી ઊભી થઈ હતી. જયારે લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહેતાં ગણેશ સુગર ફેકટરીનાં ચેરમેન સંદીપ માંગરોલા દ્વારા આજે ભરૂચ શહેરનાં આલી ડીગીવાડનાં માતરીયા તળાવ વિસ્તારનાં ખરી ફળિયામાં જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરનાં અનેકો વિસ્તારમાં મફત સેનેટાઈઝર પણ છંટકાવ કરવામાં આવ્યું છે. જયારે આજે ગરીબોને અનાજ વિતરણ કરી માનવ સેવાનો ધર્મ નિભાવ્યો છે આ પ્રસંગે યુવા અગ્રણી ધીરેન કટારીયા પણ સાથે રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસી જવાના મુખ્ય માર્ગ પર કપલસાડી ગામ નજીક ટેન્કરનુ અકસ્માત.

ProudOfGujarat

રાજપીપલા મુખ્ય મથકે જીતનગર ખાતે ૭૨ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની થયેલી ઉજવણી : મહાનુભાવોના હસ્તે કરાયું વૃક્ષારોપણ.

ProudOfGujarat

ગોધરા : ભામૈયા ગામના ગ્રામજનો દ્વારા વિજપુરવઠો ખોરવાતા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!