Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ જીલ્લાનાં વિવિધ ગામોમાં મેલેરીયા શાખા દ્વારા સેનીટાઇઝેશન કામગીરી કરવામાં આવી.

Share

હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટર અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદની સુચના મુજબ અમદાવાદ જીલ્લાની વિવિધ ગામમાં હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોના ઘરે મેલેરીયા શાખા, જિલ્લા પંચાયત અમદાવાદ સંલગ્ન કર્મચારીઓ દ્વારા સેનીટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી. સાણંદ તાલુકાના શેલા ગામમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શેલા ગામમાં વિશેષ ડ્રોનની મદદથી સેનીટાઇઝેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા એક અઠવાડીયામાં અમદાવાદ જીલ્લામાં ૫૭૫ ઘરોમાં સેનેટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત નોવેલ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયો, હાથ ધોવાની રીત સમજાવવામાં આવી હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતીષ મકવાણા તથા જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, દસક્રોઇ તાલુકામાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠેડે જણાવ્યુ હતુ કે, હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોં ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. છેલ્લા એક અઠવાડીયામાં અમદાવાદ જીલ્લામાં ૫૭૫ ઘરોમાં સેનેટાઇઝેશનની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. સાણંદ તાલુકાના શેલા ગામમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શેલા ગામમાં વિશેષ ડ્રોનની મદદથી સેનીટાઇઝેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ

Advertisement

Share

Related posts

ભરૂચ : ડૉ.બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, સ્કુલ બેગ અને યુનિફોર્મનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ ખાતે વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા આજથી ચાર દિવસનું સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગુજરાત એસ.ટી નિગમ દ્વારા કરજણ – શિનોર – પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં ઓપન હાઉસ મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!