Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સેન્ટ્રલ ઓક્સિજન અને સક્ષમની સુવિધા ઉભી કરાઇ.

Share

કોરોનાને વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે ત્યારે કોરોનાને ફેલાતો રોકવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે આ મહામારીને પહોંચી વળવા દરેક જિલ્લાઓમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં નવી બનેલ આયુર્વેદિક કોલેજની બિલ્ડીંગમાં હંગામી ધોરણે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે ત્યારે હાલ સેન્ટ્રલ ઓક્સિજન અને સક્ષમની નવી લાઈનો કરાઈ છે જેમાં ઓક્સિજન લાઈન આજે શરૂ થઈ ગઈ છે જ્યારે સક્ષમ લાઈન આવતી કાલથી શરૂ થઈ જશે તેમ રાજપીપળા સિવિલ હોસ્પિતલના મુખ્ય તબીબ ડૉ.જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું હતું ઉપરાંત આઇસોલેશન વોર્ડમાં દાખલ 4 દર્દીઓ પૈકી 2 દર્દીઓને આજે રજા અપાઈ છે અને અન્ય જે 2 દર્દી દાખલ છે તેમની તબિયત પણ સારી છે તેમ જણાવ્યું હતું અને હાલ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી તેમ પણ ઉમેર્યું હતું. એક વાત તો નક્કી છે અંતરિયાળ એવા નર્મદા જિલ્લાને કોરોનાનાં કારણે આઈ.સી.યુ અને સારો આઇસોલેશન વોર્ડ મળ્યો એ ચોકકસ કહી શકાય.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

જંબુસર નગર પાલિકાના સહયોગથી બનાવેલ કોમ્પ્યુટરલેબ,સ્માર્ટક્લાસનું ઉદઘાટન.

ProudOfGujarat

ભરૂચના કોટ પારસીવાડમાં ઇમારતની દીવાલ ધરાશાયી થતાં એક મહિલા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અંકલેશ્વર માં પર્યાવરણના રક્ષકો પર અસામાજિક તત્વો દ્વારા ફરી હુમલો કરાયો. ઉપરા છાપરી થતા હુમલાના બનાવો ગમ્ભીર બાબત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!