Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાની શ્રીજી નગર સોસાયટીનાં રહિશોએ મેન ગેટ બહાર લગાવ્યા પોસ્ટર બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.

Share

કોરોના વાઇરસનો કહેર સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ચીનમાંથી ફેલાયેલો વાઇરસ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે ભારત સહિત ગુજરાતમાં પણ આ વાઇરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે એવામાં કોરોના વાઇરસથી સતત વધતા સંક્રમણને ધ્યાનમાં લઇને મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે અને ૨૧ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે.

ત્યારે ગોધરા શહેરમાં આવેલ અમદાવાદ હાઈવે પાસે આવેલ ગૌતમ નગર તથા શ્રીજી નગર સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મેન ગેટ પાસે પોસ્ટર લગાવી અને સંદેશ આપ્યો છે કે બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ અને જો કોઈ વ્યક્તિ પૂછયા વગર પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવા પોસ્ટરો સોસાયટીના ગેટ પાસે ચોંટાડી દેવામાં આવ્યાં છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ વધેરવાની માંગ સાથે ભરૂચ AHP અને રાષ્ટ્રીય બજરંગ દળે કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

નડિયાદ : શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ખેડામાં એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે નાં મોત, એક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!