Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વરાછાની મિનિ બજાર ખાતે રત્નકલાકારોને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

સુરતમાં કોરોના વાઈરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે. દવા ન હોવાથી કોરોનાથી બચવા તકેદારી રાખવાનું કહેવાય રહ્યુ છે ત્યારે વરાછાની મિનિ બજાર ખાતે મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. રત્નકલાકારોને સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને મફતમાં લગભગ 2 હજાર જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. મફતમાં મળતા માસ્ક લેવા માટે લોકોએ પડાપડી કરી મુકી હતી. સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને અનોખી પહેલ કરી હતી. દુકાનમાં 50 રૂપિયામાં 3 અથવા તો 20 રૂપિયા જેવી ઊંચી કિંમતે વેચાતા માસ્ક લોકોએ મફતમાં આપ્યાં હતાં. માસ્ક લેવા માટે લોકો ખૂબ આવ્યા હોવાથી સેવાભાવી સંસ્થાના લોકોએ દરેકને એક એક માસ્ક આપ્યું હતું. સાથે જ કોરોના વાયરસના કારણે ખોટો ભય દૂર કરી અફવાઓથી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે જ માસ્ક,સેનેટાઈઝર સાથે સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ વરસાદી છાંટા વરસ્યા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા યોજવા અંગેના વિપક્ષે આપેલ 72 કલાકનાં અલટીમેટમનો અંત થતાં વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!