Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત યોગી એસ્ટેટ તરફ જવાના માર્ગ ઉપર અજાણ્યા વાહનની અડફેટે એક રાહદારીનું ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ ધટના સ્થળે મોત નિપજયું.

Share

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત યોગી એસ્ટેટ તરફ જવાના માર્ગ ઉપર ગત સાંજે અજાણ્યા વાહનની અડફેટે એક રાહદારીનું ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું. તા.18/2/2020 ના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે 25 થી 30 વર્ષીય એક રાહદારીને અડફેટમાં લઈ પલાયન થઇ ગયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા રાહદારીને મોંઢા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી, જેનું ઘટના સ્થળે જ પ્રાણ પખેરુ ઉડી ગયું હતું. બનાવ અંગે જીઆઇડીસી પોલીસે હાલ તુરંત અકસ્માત મોતનો ગુનો દર્જ કરી ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ગોધરા : વોર્ડ નં. 11 નાં વિસ્તારમાં સ્થાનિકોનો આક્રોશ…રોડ નહીં તો વોટ નહીંનાં બેનરો લાગ્યા.

ProudOfGujarat

ભરૂચ-નર્મદા જીલ્લાનાં સાતપુડા ડુંગરનાં વિસ્તારમાં એકમાત્ર નેત્રંગ તાલુકામાં ત્રણ ડેમ અને પાંચ નદીઓ વહે છે,છતાં ધરતીપુત્રોને પાણી માટે કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે વંદે ગુજરાત રથયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!