Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામે વનવિભાગ દ્વારા અગાઉ મુકવામાં આવેલ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Share

ગત તારીખ 25/1/2019 ના રોજ ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામના સરપંચ જીગ્નેશ વસાવાએ વનવિભાગને દીપડો ફરતો હોવા અંગે જાણ કરી હતી અને જે તે સમયે ઝધડીયા વન વિભાગની ટીમે પાંજરું મૂક્યું હતું. દરમિયાન તારીખ 29 મી જાન્યુઆરીના રોજ સવારે આ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થઇ જતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગેની જાણ ઝધડિયા રેન્જના ફોરેસ્ટ ઓફિસર વી.ઝેડ.તડવી અને રાજપારડીના ફોરેસ્ટ ઓફિસર એમ.કે.વસાવાને કરાતા ભગત ફળીયા ગામે મુકેલ પાંજરે પૂરાયેલા દીપડાનો કબજો મેળવી તેને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : દંડનો ટાર્ગેટ પૂરો કરવા પોલીસ કરી રહી છે જનતાને હેરાન,જંબુસરનાં ધારાસભ્યએ કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત-જાણો વધુ…

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ટેન્કરની અડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા.

ProudOfGujarat

ભરુચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!