Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ડેમમાંથી લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા પાણી છોડાયું. ૧૭૦૦ ક્યુસેક જેટલું પાણી છોડાયું. ૬ અને ૭ નંબરના બે રેડીયલ ગેટ ખોલાયાં.

Share

રાજપીપળા, નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામ નજીક આવેલા કરજણ ડેમમાંથી કરજણ નદી અને નર્મદા નદીના લાભિત ગામોના વિસ્તારના લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા માટે સરકારશ્રીની સુચના મુજબ આજે તા.૨૧ મી ડિસેમ્બર, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરજણ ડેમની હાલની ૧૧૫.૦૭ મીટરે નોંધાયેલી જળ સપાટીમાં જીવંત જથ્થો ૫૦૯.૪૬ મિલીયન ક્યુબીક મીટરની ઉપલબ્ધિ અન્વયે આ ડેમના બે રેડીયલ ગેટ અનુક્રમે ૬ અને ૭ માંથી ૦.૧૫ મીટર ખોલીને આજે કુલ ૧૭૦૦ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડવામાં આવ્યો હોવાની જાણકારી કરજણ ડેમના અધિક મદદનીશ ઇજનેર એ.વી. મ્હાલે આપી હતી. તેઓ એ આપેલી વધુ વિગતો મુજબ આ પાણીનો પ્રવાહ રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ભુછાડ, ધાનપોર અને ધમણાચાના ગામોથી નર્મદા નદીમાંથી પસાર થશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

લીંબડીથી બગોદરા તરફ આશરે 6 કિલોમીટર દૂર જાખણના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે આઘેડને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે અમર શહીદ ભગતસિંહ, વીર પુત્રોના સમાધિ સ્થળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિકસિત કરવા મોદી સરકારને કરી લેખિત માંગણી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ની ખાનગી કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાં દોડધામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!