Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ)ની દ્વિતિય પુણ્યતિથિની વિરમગામમાં ઉજવણી કરાઇ

Share

અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના પોપટચોકડી પાસે પંચમુખી હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. આ મંદિરના સંત અને સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ) ભાદરવા સુદ બીજના રોજ 2017 માં બ્રહ્મલીન થયા હતા. આ સંત વિરમગામના પ્રેરણાદાયી સંત હતાં તેમના દેવલોક પછી વિરમગામને એક સાચા સંતની ખોટ પડી હતી. આ સંતના હસ્તે ઘણા સેવાના કાર્યો થયેલા છે. વિરમગામમાં ગરીબોને દાન કરવું, પશુપક્ષીની સેવા,ગાયોની સેવા કરવી અને ધર્મનું જતન કરતા આ મહાન સંતની રવિવારે બીજી વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી. આ પ્રસંગે સવારે ૮.૩૦ કલાકે રામધૂન અને સંત સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સિવિલ હોસ્પિટલ ખાતે પણ વીજના ધાંધિયા દર્દીઓ હેરાન પરેશાન ….

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ, માથામાં ગોળી વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો.

ProudOfGujarat

ભરૂચમાં રામનવમીનાં કાર્યક્રમો રદ્દ : મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!