Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામમા નીકળનાર રથયાત્રાના આયોજન માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામા શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલા ઐતિહાસિક રામ મહેલ મંદિરેથી અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રા નીકળનાર છે જેના આયોજનના ભાગરૂપે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેકટર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામમાં આગામી 4 જુલાઇ એ નિકળનાર ભગવાન જગન્નાથજીની 37 મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના આયોજન માટે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં રામ મંદિરના મહંત, રથયાત્રા સમિતિના સભ્યો, પૂર્વ ધારાસભ્ય, કાઉન્સિલર, વિવિધ સામાજિક આગેવાનો, વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા આયોજન,રોડ મેપ, સ્વચ્છતા, શાંતિ સલામતિ, કાયદો અને વ્યવસ્થા સહીતના મુદ્દાઓની ચર્ચા કરવા આવી હતી.

Advertisement


Share

Related posts

પોંક ખરીદીમાં ભારે તેજી : ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ પર પોંકની હાટડીઓ ઉભી કરાઈ.

ProudOfGujarat

કંપની ભડકે બળી – પાલેજ જીઆઈડીસી સ્થિત રૂચિકા મટીરીયલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર અને ફાયરનાં જવાનોને ઈનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!