Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:શુક્લતીર્થ ગામના યુવાનો દ્વારા આનોખી રીતે સ્વચ્છતા અભિયાન…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામના રાણી ફળિયાના યુવકો દ્વારા પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે મહિનામાં એક-બે વાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે.ગામના યુવાનોએ પોતાના ગામને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું હોય તેમ ગામના કોઈપણ વિસ્તારને પસંદ કરી તે વિસ્તારને સ્વચ્છ કરી નાખે છે.હાલમાં જ પોતાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત યુવકો દ્વારા નદી કિનારાના વિસ્તારને સ્વચ્છ કર્યો હતો.નદી કિનારે આવતા સહેલાણીઓ દ્વારા ફેંકવામાં આવતા કચરાને કારણે નદી દુષિત થાય છે અને નદી કિનારો અસ્વચ્છ બને છે. શુકલતીર્થ ગામના યુવકોએ નદી કિનારાને સ્વચ્છ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સ્વચ્છતા રાખવી એ આપી સૌની ફરજ છે.

Advertisement


Share

Related posts

નડિયાદમા બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ કરતા દુકાન માલિક સામે કાર્યવાહી

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા લખીમપુર ખીરીમાં હિંસક પ્રવૃતિમાં મૃત પામેલ ખેડૂતના સમન્સમાં ગૃહ રાજ્યમંત્રીના દીકરા સામે કડક પગલાં લેવા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!