Proud of Gujarat
FeaturedGujaratINDIATop NewsWorld

સમગ્ર ભરૂચ જિલ્લામાં વીર શહીદોના બલિદાન અંગે સહાનુભૂતિ અને બીજી તરફ પાકિસ્તાન તરફ રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો…

Share

પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાના બનાવમાં શહીદ થયેલ જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આજે તેમજ ગઇકાલથી જ ભરૂચના લોકોમાં લાગણીઓ જણાતી હતી. ભરૂચ જિલ્લાની શાળાઓમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું એટલું જ નહિ પરંતુ સહકારી સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં પણ મૌન પાળવામાં આવ્યું હતું. ગત રોજ બનેલા બનાવના પગલે અને આતંકવાદી ઘટનાના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના અહેવાલોના પગલે ભરૂચ જિલ્લામાં પાકિસ્તાન તરફ રોષની લાગણી જણાઈ રહી છે એટલું જ નહીં પરંતુ લોકો પાકિસ્તાનને બોધપાઠ પાઠવવા સરકાર દ્વારા કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી હતી.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા દરેક કર્મચારીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળી પછી ફરજ પર હાજર થવા આદેશ અપાતા કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

Advertisement



Share

Related posts

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા કૃઝની મઝા નહીં માણી શકાય : આગામી ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રહેશે ક્રુઝ.

ProudOfGujarat

વડોદરામાં દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીની 213 મી રથયાત્રા યોજાઈ.

ProudOfGujarat

વર્ષાઋતુમાં આકાશમાં ચમકતી વીજળીથી કેવી રીતે બચી શકાય ! જાણી લો ઉપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!