Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓની થઈ બદલી.

Share

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, સચિવાલય (ગાંધીનગર) નાયબ સચિવ જે.એમ.મિસણ દ્વારા ગુજરાત રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ (૧)ના કુલ 58 જેટલા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી સાથે નિમણૂંક કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈસધ મકવાણાની જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બદલી થઈ તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાની જામનગર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બદલી થવા પામી છે. ત્યારે ભરૂચ જિલ્લાના નવા જિલ્લા શિક્ષણાધિકારી તરીકેની અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતાની નિમણૂંક કરવામાં આવી છે.

Advertisement

તમામ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓએ તેઓને બદલીથી થયેલ નિયુક્તિની જગ્યાએ તાત્કાલિક હાજર થઈ તે અંગેનો રિપોર્ટ સંબંધિત ખાતાના વડા મારફતે રાજ્ય સરકારમાં મોકલવાનો રહેશે.


Share

Related posts

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક મળશે

ProudOfGujarat

ભરૂચ માં નર્મદા નદી સૂકી ભઠ્ઠ બનતા માછીમારોની કાળા વાવટા સાથે વિશાળ રેલી ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!