Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીઇબીની બેદરકારીના પગલે રતનગનર વિસ્તારમાં 2 ગાયોનું નીપજ્યું મોત.

Share

વીજ કરંટના પગલે મોત નિપજતા જીઇબી તંત્ર સામે લોકોનો પીટકાર.

ભરૂચ. તા. 2/12/2018

Advertisement

ભરૂચ નગરના ફલશ્રુતિનગર વિસ્તારમાં આવેલ રતનનગર પાસે 2 ગાયોના વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા. ગાયોને મૃત હાલતમાં જોતા અને નજીકમાં જીવંત વાયર હોવાથી લોકોએ જીઇબી તંત્રને જાણ કરી હતી.

આજરોજ વહેલી સવારના સમયે રતનનગર વિસ્તારમાં આવેલ કચરામાં 2 ગાયો ફરી રહી હતી તે સમયે અચાનક વીજ કરંટ લાગતા બન્ને ગાયોના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. આ ઘટનાના પગલે જીઇબીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગાયોના પોસ્ટમોર્ટમ બાદ કંઈ રોટ અને ક્યાં કારણોસર મોત નિપજ્યા તે અંગેની સંપૂર્ણ વિગત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવે તેવી સંભાવના છે. તે સાથે આ બનાવ અંગે જીઇબી તંત્ર સામે ફરિયાદ પણ નોંધાઇ તેવી શકયતા નકારી શકાતી નથી.


Share

Related posts

અંકલેશ્વર : પીરામણ પ્રાથમિક શાળામાં પાસે ક્લોરીન ગેસ લીક થતા દોડધામ..!!

ProudOfGujarat

ભરૂચ : પ્રેમ સંબંધોના કરુણ અંજામ, બે ઘટનાઓમાં યુવક અને યુવતીએ ગુમાવ્યા જીવ,પોલીસે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ દવારા ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર ફાળવવા બાબતે મામલતદાર કચેરી બહાર ધરણા કરી આમોદ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવા મા આવ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!