Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરૂડેશ્વર ખાતે નવ નિયુક્ત A.P.M.C નું ઉદધાટન કરાયું. ૬૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર નિર્માણ

Share

( ખેડુતોમાં ખુસીની લહેર વ્યાપી )

( માજી મંત્રી શ્રી શબ્દશરણ તડવીના હસ્તે ઉદધાટન )

Advertisement

મળતી માહીતી મુજબ નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર ખાતે ગત રોજ A.P.M.C નું ઉદધાટન કરવામાં આવ્યું હતુ.૬૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ગરૂડેશ્વર ખાતે નવ નિયુક્ત A.P.M.C નું નિર્માણ થતા તાલુકાના ખેડુતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી આ ઉદધાટન કાર્યક્રમમાં માજી મંત્રીશ્રી શબ્દશરણ તડવી અધ્યક્ષ સ્થાને રહ્યાં હતાં. તથા તેઓની સાથે રમણભાઈ ભીમાભાઈ તડવી ( ફુલવાડી ), ઈશ્વરભાઈ તડવી ( લીમખેતર ), ઉસ્માનભાઈ ( જેતપુર-વઘરાલી ), કાનજીભાઈ. કે. તડવી ( બોરીયા ), વિક્રમભાઈ તડવી ( અંકલેશ્વર ), દિનેશભાઈ તડવી ( વાડી ), ઉમંગ શાહ, ઐલેન્દ્રસિંહ ગોહીલ, પદમાકાંતભાઈ તડવી ( ડેકોઈ ) સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો તેમજ ગ્રામજનો હાજર રહ્યાં હતાં કાર્યક્રમની શરૂઆત પુંજનવિધિ સાથે કરવામાં આવી હતી તેમજ નવી ઓફીસ ખાતે પુંજનવિધિ કરી વજનકાંટા તથા ભુમીપુંજન કરી શ્રીફળ વધેરી શુભારંભ કરવામાં આવ્યો હતો. “ ભારત માતા કી જય “ , વંદેમાતરમ ના નારા ગુંજી ઉઠ્યા હતાં. શુભારંભ દિવસે કપાસનો ભાવ રૂ. ૫૫૫૫ માજી મંત્રી શ્રી શબ્દશરણ તડવી સાહેબ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. પુંજનવિધિ નર્મદેશ્વર મહાદેવ મંદીરના પુંજારી શ્રી મનિષભાઈ સ્વામી મહારાજે કરાવી હતી.આ ઉદધાટનનાં સમાચાર મળતાંજ ખેડુતો કપાસ આપવા માટે ઓફીસે ઉમટી પડ્યા હતા.


Share

Related posts

ભરૂચનાં આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપાની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI એ વિરોધ પ્રદર્શન કરી એડમીશન પ્રક્રિયા અને સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી કરવા માંગ કરી

ProudOfGujarat

વન વિભાગ દ્વારા જાંબુગોઢા અભિયારણ અને સિવરાજપુર માં કેમિકલ ખાલી કરવા માટે ના મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના ગુડડું ની ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!