Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના તલાટીઓએ પડતર માંગણીઓનો નિકાલ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે.

Share

રાજ્યના તલાટીઓ વિવિધ માંગણીઓનું નિરાકરણ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલના એલાન મુજબ વાલીયા તાલુકાના તલાટી મંડળે વાલીયા મામલતદાર જે.જે રાઠવા તમેજ વાલીયા તાલુકા વિકાસ અધિકારી કે.કે પટેલને આ બાબતે આવેદન પત્ર પાઠવી હડતાલમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. જેથી તાલુકાની ગ્રામ પંચાયતોમાં તમામ જાતની કામગીરીઓ ઠપ થઈ જશે. રાજ્યના તલાટીઓની વર્ષો જુની માંગણીઓનું નિરાકરણ લાવવા શરૂ કરેલા શાંત આદોલનનું પરિણામ નહી આવતા સરકારને ભીસમાં લેવા તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન અપાયું છે. આ હડતાલમાં વાલીયા તલાટી મંડળ પણ જોડાશે તેવું વાલીયા તાલુકા મંડળના પ્રમુખ મુકેશભાઈ પંડીતે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મંત્રી મનીષાબેન વકીલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાનાં નાની રાવલ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલ સુરતનાં પરિવારનાં ત્રણ જણા ડૂબ્યા…

ProudOfGujarat

નર્મદા ડેમના ઉપરવાસમાં શરૂ કરાયેલ બોટિંગ પ્રવાસીઓ માટે જોખમી!!..જાણો કેમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!