Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ પાસે આવેલ રંગ કૃપા સોસાયટી ના એક મકાન માં ટ્રિપલ હત્યા થી ખળભળાટ…… જાણો વધુ

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સાંજ ના સમયે ભરૂચ ના તુલસીધામ વિસ્તાર માં આવેલ રંગ કૃપા સોસાયટી ના મકાન નંબર એ ૭૧ માં છેલ્લા કેટલાક સમય થી ભાડા ના મકાન માં રહેતા તેઓના પરીવાર સાથે રહેતા હતા તેઓ એ કોઈ અગમ્ય કારણોસર પત્ની અને બે નાના બાળકો ને તીક્ષણ હત્યાર ના ઘા મારી એ બાળકો સહીત પત્ની ની હત્યા કરી પોતે આત્મ હત્યા કરવાનો નો પ્રયાસ કર્યો હોવાનું હાલ માં ઘટના અંગે પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે…

Advertisement

હાલ ઇજાગ્રસ્ત ઈશમ ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે ખસેડવા માં આવ્યો છે તો બીજી તરફ ઘટના અંગે ની જાણ થયા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ના પી આઈ તેમજ ડી વાય એસ પી સહીત નો પોલીસ કાફલો ઘટના સ્થળેદોડી જઈ સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી …….

અત્રે ઉલ્લેખનીય છેકે એક સાથે ટ્રિપલ હત્યા ની ઘટના ના પગલે ઘટના સ્થળે લોક ટોળા મોટી સંખ્યા માં ભેગા થઈ ગયા હતા તેમજ મકાન માં હત્યા કરાયેલ બે બાળકો અને પત્ની ની લાશ ને જોઈ લોકો એ હત્યારા સામે ફિટકાર વર્ષાવ્યો હતો…..


Share

Related posts

મહેમદાવાદ પોલીસે ત્રણ રીઢા ગુનેગારની ધરપકડ કરી ૧૭ ગુનાનો ભેદ ઉકેલ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે ક્રોસ કરતા અકસ્માત સર્જાયો, એક યુવાનનું ગંભીર મોત…

ProudOfGujarat

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગ બાળકો માટે ચામડીના રોગોના ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!