Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસીમા વરસાદના કારણે પ્રોડક્શન પર માઠી અસર ઊભી થઈ…

Share

અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસીમા વરસાદના કારણે પ્રોડક્શન પર માઠી અસર ઊભી થઈ…

=> ટ્રાન્સપોર્ટેશન પર અસર પડતા અને રેલવે ટ્રેનો રદ થતાં લેબર અને રો મટીરીયલ પર બ્રેક લાગી..

Advertisement

વરસાદ કારણે ખેડૂતોની દશા બેઠી છે તો બીજી તરફ ઉદ્યોગોની હાલત પણ કંઈક વખાણી શકાય એવી નથી રહી બે દિવસ ટ્રાન્સપોર્ટેશન અને વરસાદી પાણીના કારણે ઉદ્યોગોને પણ સહન કરવાનો વારો આવ્યો છે.

બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદના કારણેટ્રેનો રદ થઈ છે જેને લઇને લેબરોની સંખ્યામાં ઉતરોતર ઘટાડો જોવા મળ્યો છે ૧૦ થી ૧૫ ટકા જેટલા લેબર ઓછા આવતા પ્રોડક્શન પર તેની સીધી અસર થઈ છે તો બીજી તરફ રો મટીરીયલ ન હોવાના કારણે ઉદ્યોગોને પણ ભારે તકલીફ સહન કરવી પડી રહી છે.

આ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલે જણાવ્યું હતું કે જનરલી ઉદ્યોગ ગૃહો પોતાનું રો મટીરીયલ અને પ્રોડક્શન તો રાખે જ છે પરંતુ વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ થઈ શકતું નથી. એમાં પણ રો મટીરીયલ હોય પરંતુ લેબર જ ના હોય તો પ્રોડક્શન કરી પણ શકાતું નથી. આ પરિસ્થિતિમાં નુકસાન સહન કરવું પડે છે જો કે હવે પરિસ્થિતિ ધીમે ધીમે રાબેતા મુજબ થાય એમ લાગી રહ્યું છે. આમ છતાં પણ રોજનું રૂ. 60 કરોડનું નુકસાન અંદાજિત ગણીને ચાલવું રહ્યું

તો બીજી તરફ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને આ પરિસ્થિતિઓ તેમજ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે અંદાજે રોજનું 100 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી એ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ લેબર ઉપરાંત ક્લાર્ક હેડ ક્લાર્ક જેવા કર્મચારીઓ નોકરી પર આવી શકતા નથી. બીજી તરફ ડાયસના ઉદ્યોગોને આ વખતે તકલીફ એટલે પડી રહી છે કે વરસાદના પાણીમાં અને ભારે વરસાદના કારણે ડ્રાયર સિસ્ટમ જોઈએ એવી કાર્યરત થઈ શકતી નથી. સૌથી વધુ નુકસાન બાંગ્લાદેશના સાંપ્રત સંજોગોને લઈને થઈ રહ્યું છે કારણ કે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાંથી મોટાભાગના ડાયસ, પીગમેન્ટ બાંગ્લાદેશ નિકાસ થાય છે. બીજી તરફ રશિયા અને યુક્રેનની પરિસ્થિતિ પણ છેલ્લા ઘણા સમયથી અસર કરી રહી છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગોએ રોજનું 100 કરોડ રૂપિયાનું નુકસાન શરૂ સહન કરવું પડી રહ્યું છે.


Share

Related posts

ભરૂચ તાલુકા ના તવરા ગામે સોખડા મંદિર ના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાઈ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો છે, જે ગુજરાત અને સમગ્ર દેશ માટે એક ગૌરવ કહેવાય

ProudOfGujarat

વડોદરા : જીવન સાધના શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતના નકશાની પ્રતિકૃતિ રચી મતદાર જાગૃતિનો સંદેશો ફેલાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!