Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા મા રોગચાળો અટકાવવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા…?

Share

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા મા રોગચાળો અટકાવવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા…?

સફાઈ કામગીરી, તથા આરોગ્ય કર્મીઓ આ બાબતે યુદ્ધ સ્તરે કામગરી કરી રહ્યા હોઈ તેમ લોકચર્ચા પ્રમાણે હજુ સુઘી ઝગડીયા તાલુકામાં ક્યાંક નજરે ચડ્યા નથી..!

Advertisement

ચોમાસા ની શરૂઆત થતા ની સાથે હોસ્પિટલ દવાખાનાઓ મા દર્દીઓ ની ભીડ જામતી હોઈ છે જેમાં અલગ અલગ વાઈરસના લક્ષણોમાં મેલેરિયા ટાઇફોઇડ, શરદી ખાંસી જેવા રોગો થતા હોઈ છે દર્દીને અચાનક તાવ આવે, ઉલટી, ઝાડા થવા,અને શરીરમાં કળતર જેવી બીમારીઓ થતી હોઈ છે જેમાં મુખ્યત્વે મચ્છર, માખી, જાહેરમા ગંદકી, ખુલ્લી ગટરો,ગંદા પાણી અખાદ્ય ખોરાખ જેવા વાહકો દ્વારા ફેલાતા હોઈ છે. ત્યારે નાના બાળકો મા આ રોગચાળો જલ્દી થી ફેલાતો હોઈ છે નવજાત બાળકો વૃદ્ધ લોકો ને વહેલી અસર જોવા મળતી હોઈ છે ત્યારે તેને અટકાવવા માટે સમગ્ર તાલુકાના ગામો મા માખી,મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવવો જરૂરી બની ગયુ હોઈ લોક ચર્ચા પ્રમાણે ચોમાસા દરમિયાન શેહરી વિસ્તાર હોઈ કે નાના ગામ,કસ્બા, સહિત ના વિસ્તારો મા સફાઈ કામગીરી, તથા આરોગ્ય કર્મીઓ આ બાબતે યુદ્ધ સ્તરે કામગરી કરી રહ્યા હોઈ તેમ હજુ સુઘી ઝગડીયા તાલુકામાં ક્યાંક નજરે ચડ્યું નથી

ગ્રામપંચાયત, તાલુકા ના વહીવટી તંત્ર દ્વવારા કોઈ જાતના પાઉડર,દવાના છટકાવ સહિત ની કોઈ કામગીરી ગામમાં કરવામાં આવતી નથી : એક ગ્રામજન ઝગડીયા

આરોગ્ય કર્મીઓ અને અન્ય કર્મચારીઓ ચોમાસુ શરૂ થયું ને ઘણા દિવસો થવા આવ્યા છતાં ઘણા ગ્રામ્ય વિસ્તાર મા હજુ સુધી માખી,મચ્છરજન્ય રોગ નિવારણ માટે કોઈ પાઉડર કે દવા છાંટવાની કામગરી કરવામાં આવી નથી ત્યારે ઝગડીયા આરોગ્ય વિભાગ અને તાલુકા કચેરી કે પછી ગ્રામપંચાયતો તરફથી લોકો ના પરીવારજનો અને તેઓ ના બાળકોના સ્વાસ્થ્ય માટે કોઈ પણ જાત ના અગમચેતીરૂપ પગલા લેવામાં આવ્યા હોઈ તેમ પ્રથમ દ્રસ્ટીએ આમ જનતા ને હજુ સુધી દેખાયું નથી ત્યારે ઝગડીયા આરોગ્ય વિભાગ આ બાબત ને ગંભીરતા થી લઈ ને યુદ્ધ સ્તરે ગામો,ગલી, કસ્બા, તથા શૈક્ષણિક સંસ્થાઓ સ્કૂલ કોલેજમા સ્ક્રીનિંગ કરી થનાર રોગો નું નિદાન સહિત પાવડર છંટકાવની કામગીરી હાથ ધરશે કે પછી તંત્ર ઘોર નિંદ્રા મા પોઢી રહશે…

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા


Share

Related posts

ઝઘડીયા તાલુકા ના APMC ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન શિબિર યોજાયો..

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 1668 થયા.

ProudOfGujarat

આપી શકાય ત્યાં સુધી તે ભરપૂર પ્રેમ આપ્યો ને પછી સાત દરિયા ભરીને દર્દ પણ આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!