Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujarat

રાજકોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પિડીતોને ભરૂચના જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બે લાખ રૂપિયાની સહાય..

Share

રાજકોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પિડીતોને ભરૂચના જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બે લાખ રૂપિયાની સહાય…

રાજકોટ ખાતે ગેમઝોનમાં સર્જાયેલી કરુણાંતિકા માં 28 જેટલા નિર્દોષ જીવ હોમાઇ જતા સમગ્ર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે રાજકોટની કરુણાંતિકામાં જીવ ગુમાવનારા નિર્દોષોના પરિવારોને મદદરૂપ બનવા અનેક નામી અનામી સંસ્થાઓ વ્હારે આવી છે. ત્યારે ભરૂચ સ્થતિ સેવાભાવી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમરાને બે લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ પીડિતોના પરિવાર માટે દૂત બની સામે આવ્યું છે. જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂલ નહિ તો ફુલની પાંખડી અર્પણ કરી અન્ય સેવાભાવી સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામી છે. ચેક અર્પણ કરતી વેળા એલ.બી.પાંડે, જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, ટ્રસ્ટી સુમિત પાંડે અને મિત્ર સંતોષ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા…

Advertisement

Share

Related posts

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ યોજાયો : 50 કરતા વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

નડિયાદ : લકઝરી બસમાંથી દેશી પિસ્તોલ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

મુંબઈથી અમદાવાદ શતાબ્દી એકસપ્રેસ ટ્રેનમાં કેન્ટીન સંચાલક દ્વારા મુસાફરોને જે ભોજન પીરસાયું તેની ફૂડ પોઇઝનિંગની અસર થતા અનેક મુસાફરોની તબિયત લથડી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!