Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કોપર વાયરની ચોરી કરનાર ત્રણ શખ્સને ઝડપી પાડતી વાગરા પોલીસ

Share

ભરૂચ જિલ્લાના વાગરા માં રેસ્ટ હાઉસ ની સામે ઓએનજીસી એસેટ સોલાર પ્લાન્ટ માંથી ત્રણેક દિવસ અગાઉ સોલાર પેનલની નીચે લગાડેલ રૂપિયા એક લાખથી વધુ ની કિંમત નો કોપરના વાયરની ચોરી થઈ હતી બાતમીના આધારે વાગરા પોલીસે કોપર વાયરની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ બનાવની વાગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર વાગરામાં આવેલ રેસ્ટ હાઉસ ની સામે ઓએનજીસી એસેટ પ્લાન્ટ માંથી તા. 23/5/24 ના રોજ સાંજના સમયે અજાણ્યા શખ્સો દ્વારા સોલાર પ્લાન્ટ ની પેનલ નીચે લગાડેલ ૨.૫૦૦ મીટર નો કોપર વાયર જેની અંદાજિત કિંમત રૂપિયા એક લાખ હોય તે કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયેલ હોય જે બાબતની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જુદી જુદી ટીમ તૈયાર કરી કોપર ચોરી કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધર્યા હોય, તે દરમિયાન વાગરા પોલીસને બાતમી મળેલ કે તાજેતરમાં ongc પ્લાન્ટમાંથી કોપર વાયર ની ચોરી કરનાર ત્રણ શકમંદ વાગરા હનુમાન ચોકડીથી આગળ ભરૂચ જવાના રસ્તા પર હોય જે બાતમીના આધારે પોલીસે હનુમાન ચોકડી રોડ પર થી ત્રણ આરોપીઓ (1)અજય રમેશ રાઠોડ ઉંમર વર્ષ 30 ધંધો મજૂરી રહેઠાણ ભરૂચ દાંડિયા બજાર ભૃગુઋષિ મંદિર પાસે ભરૂચ , (2) અરવિંદ હીરા વસાવા ઉંમર વર્ષ 36 ધંધો મજૂરીકામ રહેઠાણ ભરૂચ દાંડિયા બજાર (3)શૈલેષ મહેન્દ્ર દેવીપુજક ઉંમર વર્ષ 30 મજૂરીકામ કરનાર રહેઠાણ મકાન નંબર 105 સ્ટાર એવન્યુ અંકલેશ્વર ભરૂચ , ને વાગરા પોલીસે હનુમાન ચોકડીવાળા રોડ પરથી ઝડપી લેતા ongc એસેટ સોલાર પ્લાન્ટ માંથી કોપર ચોરી કરિયા ની કબુલાત વાગરા પોલીસ સમક્ષ આપી હતી, પોલીસે વાયર કિંમત રૂપિયા 24000 activa ગાડી નંબર GJ 16 DV 8636 કિંમત રૂપિયા 25,000 સહિતના કુલ મુદ્દા માલ ₹1,00,000 નો કબજે કરી આઈપીસી કલમ 379 મુજબ ત્રણેય આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ભરૂચ ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

અંકલેશ્વર સંજાલી ગામ ના ખેતર માંથી અજાણ્યા ઈસમ નો મૃતદેહ મળ્યો-હત્યા ની આશંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!