Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટિયર-2 નગરોએ ઈટીએફમાં વધુ રસ દર્શાવ્યો, 60% ઉત્તરદાતાઓને ઈટીએફ વિશે સારી સમજ

Share

ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ જેણે ભારતમાં અનેક નવીન ઈટીએફ રજૂ કર્યા છે, તેણે ઈટીએફ વિશે ભારતીય ગ્રાહકોની ધારણાઓને સમજવા માટે એક અનોખા પ્રકારનો પ્રથમ અભ્યાસ હાથ ધર્યો છે.

“ડીકોડિંગ ઈટીએફ પરસેપ્શન્સ” શીર્ષક હેઠળનો આ સર્વે 15 શહેરોમાં ફેલાયેલા 2109 રોકાણકારોમાં હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મેટ્રો તેમજ ટિયર 2 નગરોનો સમાવેશ થાય છે, જેમાં રસપ્રદ તારણો બહાર આવ્યા છે જેનો ઉપયોગ ભારતમાં ઈટીએફ માટે માર્કેટમાં વધુ પ્રસાર કરવા માટે થઈ શકે છે. મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ વતી વિશ્વ વિખ્યાત પબ્લિક ઓપિનિયન અને ડેટા કંપની YouGov India દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

Advertisement

સર્વેમાં રસપ્રદ તારણો છે, જ્યાં તેઓ ટિયર 2 શહેરોમાં વધુ લોકપ્રિય હોવાનું જણાય છે અને 36-45 વય જૂથના રોકાણકારોમાં એકંદરે લોકપ્રિય છે.

60% થી વધુ ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે તેઓ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ દ્વારા ઓફર કરવામાં આવતી ઈટીએફ પ્રોડક્ટ્સ વિશે સારી સમજ ધરાવે છે. વિવિધ માર્કેટ કેપ પ્રોડક્ટ્સમાં, લાર્જ કેપ અને મિડ કેપ આધારિત ઈટીએફની લોકપ્રિયતા માલિકો અને ઇચ્છુકોમાં વધુ છે અને તેમાંના મોટાભાગના 1-3 વર્ષની ક્ષિતિજ સાથે રોકાણ કરવાનું પસંદ કરે છે.

બજારના વળતરની અપેક્ષા અને એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આઉટપરફોર્મન્સ તેમના માટે ઇટીએફમાં રોકાણ કરવાના મુખ્ય હેતુઓ પૈકીનું એક હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે. મોટાભાગના રોકાણકારો કે જેઓ ઈટીએફ પસંદ કરે છે તેઓ સમજદાર હોય છે અને તેમના રોકાણ માટે ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને મોટાભાગે પર્સનલ ફાઇનાન્સ વેબસાઇટ્સ પર આધાર રાખે છે ત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સમાં YouTube એક મુખ્ય પ્રભાવી પરિબળ તરીકે જોવા મળે છે.

તરલતા, બજારની ગતિ અને નવીન પ્રોડક્ટ્સ એ મુખ્ય પરિબળો છે જે ઈટીએફ બજારને આગળ ધપાવે છે જ્યારે છુપાયેલા જોખમો અને સંબંધિત જ્ઞાનનો અભાવ એ મુખ્ય અવરોધો છે જેને ઉદ્યોગે સંબોધવાની જરૂર છે, એમ સર્વેક્ષણના તારણો દર્શાવે છે.

સર્વેના તારણો પર ટિપ્પણી કરતા, મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના વાઇસ ચેરમેન અને સીઇઓ સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું કે, “ઈટીએફમાં તેના ઉત્તમ વૈશ્વિક ટ્રેક રેકોર્ડ સાથે મિરે એસેટ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય રોકાણકારોને નવીન રોકાણનો અનુભવ લાવવામાં મોખરે છે. આ અહેવાલમાંથી શીખવાથી માત્ર ઈટીએફમાં રોકાણ કરનારા રોકાણકારોની મૂલ્યવાન આંતરદ્રષ્ટિ જ નહીં પરંતુ ઇટીએફ પ્રદાતાઓ પાસેથી ઇચ્છુકો શું ઇચ્છે છે તે પણ જાણવા મળશે. આમ, આ સર્વે ભારતમાં ઈટીએફ ઉદ્યોગને એકંદરે લાભ આપી શકે છે.”

YouGov ના મેના અને ઈન્ડિયાના જનરલ મેનેજર દીપા ભાટિયાએ જણાવ્યું હતું કે “અમે ઈટીએફ વિશે ભારતીય ગ્રાહકોની ધારણાઓને સમજવા માટે પોતાના પ્રકારના પ્રથમ અભ્યાસ માટે મિરે એસેટ સાથે સહયોગ કરવામાં આનંદ અનુભવીએ છીએ. ડેટા બતાવે છે તેમ, ઈટીએફ અંગે વધુ જાગૃતિ કેળવવાની જરૂર છે, ખાસ કરીને તેની ઇચ્છા રાખનારાઓમાં.

ટિયર-2 શહેરો કેટેગરી માટે સારી સંભાવના દર્શાવે છે અને યોગ્ય નાણાંકીય જ્ઞાન સાથે આ તકનો ઉપયોગ રોકાણના સાધન તરીકે ઈટીએફના વિકાસને વેગ આપવા માટે કરી શકાય છે.”

“ભારતીય મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં તેમની પારદર્શિતા તેમજ બજારની ગતિ માટે ઈટીએફ ઝડપથી લોકપ્રિય રોકાણ સાધનો તરીકે ઉભરી રહ્યાં છે. એ નોંધવું આનંદદાયક છે કે નાના શહેરો પણ ઈટીએફ રોકાણ હબ તરીકે ઉભરી રહ્યા છે જે એકંદર બજાર માટે સારી નિશાની છે”, એમ મોહંતીએ ઉમેર્યું.

સુચિત્રા આયરે


Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

દહેજ : કોમ્બીંગ નાઈટ દરમ્યાન ટ્રક ટેલરની બેટરી સાથે ચોરોને પકડતી દહેજ પોલીસ

ProudOfGujarat

રાહુલ ગાંધીના જન્મ દિવસે જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!