Proud of Gujarat
FeaturedGujaratINDIA

હવે રાત્રે 12 વાગ્યે પોલીસ નહીં કરાવે ગરબા બંધ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પોલીસને આપી સૂચના

Share

ગુજરાતમાં આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે.આજે ત્રીજું નોરતુ છે ત્યારે ગરબા રસિકો માટે સારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. અત્યાર સુધી રાત્રે બાર વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજુરી હતી પરંતુ હવે ગૃહવિભાગે પોલીસને મૌખિક સૂચના આપી છે કે, કોઈ પોલીસ કર્મી રાત્રે બાર વાગ્યા પછી ગરબા બંધ કરાવવા નહીં જાય. હવે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને મૌખિક આદેશ આપ્યો છે. પોલીસ હવેથી રાત્રે બાર વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા નહીં આવે. જેથી ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે. બીજી તરફ ગરબા આયોજકોએ પણ ગૃહરાજ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો છે. નવરાત્રી પહેલાં પોલીસ તંત્રએ પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ લાઉડ સ્પીકર બાર વાગ્યા બાદ નહીં વગાડવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ગરબાને રાત્રે બાર વાગ્યા બાદ બંધ કરાવવા માટે પોલીસ સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ પર પહોંચી જતી હતી. પરંતુ હવે ગરબા રસિકો મોડે સુધી ગરબા રમી શકશે.

Advertisement

Share

Related posts

એલએન્ડટી ફાઇનાન્સ આ ત્રિમાસિકમાં તેના એસએમઈ ફાઇનાન્સ બિઝનેસને 50 થી વધુ શહેરોમાં વિસ્તારશે

ProudOfGujarat

ગોધરા: SRP ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લશ્કરી ભરતી મેળામા૧૫૩૭ ઉમેદવારો શારિરીક કસોટીમાં પાસ થયા

ProudOfGujarat

સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવી પત્રકારો તેમજ પોલીસને બદનામ કરનાર સામે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી અફવાઓ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની પત્રકારોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!