Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : ભેરસમ ગામનાં તળાવમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર.

Share

વાગરા તાલુકાના ભેરસમ ગામમાં રહેતા ચંદુભાઈ ભારમલ ભાઈ વસાવા રહે. નવીનગરી, ગામ ભેરસમનાઓ દ્વારા ગણપતિ વિસર્જનમાં ગયેલ પુત્ર મહેશ ચંદુભાઈ વસાવા ઘરે પરત નહીં આવતા લાપતા બન્યો હોવા અંગે ગત તારીખ ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ વાગરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવાઈ હતી. વાગરા પોલીસે શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ ભેરસમ ગામનાં તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોર્સ્ટમોટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગણપતિ વિસર્જન વેળા તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે “વિશ્વ દિવ્યાંગ દિવસ” ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ મહિલા, ડી ગેંગ મામલે થયો આ ખુલાસો

ProudOfGujarat

આ લોકો અકસ્માત સર્જશે હો…ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર સહેલાણીઓ રોડ ઉપર જ વાહનો પાર્ક કરી વાહનોને અડચણરૂપ બની રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!